



વાદળછાયા વાતાવરણ બાદ એકાએક વરસાદી માવઠું થતાં ખેતીમાં નુકશાનની ભીતી,
દિવ્યાંગ મિસ્ત્રી – ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણની સાથે ગમે ત્યારે વરસાદ થવાની શક્યતાઓ જણાઇ રહી છે. ગતરોજ રાત્રીના સમયે વરસાદી છાંટા અને ત્યારબાદ સવારના મળસ્કેના સમયે એકાએક વરસાદ થયો હતો. કમોસમી વરસાદ થવાથી ખેડુતો ચિંતિત થઇ ગયા હતા. કપાસ, તુવેર, શેરડી, ઘઉં જેવા પાકમાં ભારે નુકસાન થવાની સંભાવનાઓ જણાઇ રહી છે. ખેડુતોને ખાતર,બિયારણ અને ખેતમજુરી પણ માથે પડવાની શક્યતાઓ જણાઇ રહી છે,કપાસનો પાક તૈયાર છે. ખેતરમાંથી નિકળવાનો શરૂ થઇ ગયો છે. કપાસના પ્રતિ ક્વિન્ટલનો ભારવ પણ સારો છે. તેવા સંજોગોમાં એકાએક વરસાદ થવાથી કપાસના પાકમાં નુકસાન પહોંચ્યું છે. એનુ તેના કારણે કપાસના ભાવ પણ ગગડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ વષૅ ચોમાસાની સિઝનમાં નેત્રંગ તાલુકામાં ૭૦ ઇંચ કરતાં વધુ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ ઉદભવી હતી. ચારેય દિશામાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. જ્યારે નેત્રંગ તાલુકામાં ભર શિયાળાની સિઝનમાં કમોસમી વરસાદ થવાથી વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જવા માંડી હતી. આવનાર સમયમાં ઘરે-ઘરે શરદી,ખાંસી અને તાવના દદીૅનો જમાવદો થવાની દહેશત જણાઇ રહી છે.