Vande Gujarat News
Breaking News
AnkleshwarBharuch

અંકલેશ્વરમાં ટ્રાફિકનું ભારણ વધ્યું, રાજપીપલા ચોકડી સહિતના માર્ગો પર વાહનોની કતારો

નેશનલ હાઇવે નંબર 48 પર કીમ-કોસંબા વચ્ચે ગત રોજ સર્જાયેલા ટ્રાફિક જામ ની ઇફેક્ટ અંકલેશ્વર શહેરમાં જોવા મળી હતી. સુરત વાયા ઓલપાડ થી હાંસોટ થઇ ભારદારી વાહનો ધસારો થતા ઓએનજીસી ઓવર બ્રિજ પર સર્જાયો ત્રાફિક જામ સર્જાયો હતો. મહાવીર ટર્નીંગ, રાજપીપલા ચોકડી સહીત માર્ગો પર વાહનો કતાર જામી જવા પામી હતી. કલાકો સુધી ચારે બાજુ રસ્તા બ્લોક થતા લોકો અટવાયા હતા. અંકલેશ્વર માં છેલ્લા કેટલાક સમય થી ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વધુ વક્રી રહી છે. જે પાછળ સુરત વાયા ઓલપાડ થી હાંસોટ થઇ આવતા ભારદારી વાહનો જવાબદાર છે. શહેર માં ભારદારી વાહનો આવાગમન વધતાજ છાશવારે ટ્રાફિક જામ સર્જાય છે.

ગત રાત્રી ના કોસંબા અને કિમ વચ્ચે સર્જાયેલ ટ્રાફિક જામ ને લઇ તેની અસર અંકલેશ્વર શહેર માં જોવા મળી હતી જ્યાં હાઇવે પર ના વાહનો આંતરિક રસ્તા અને હાંસોટ જોડાતા સ્ટેટ હાઇવે થઇ શહેર માં આવતા ઓએનજીસી ઓવર બ્રિજ થી લઇ રાજપીપલા ચોકડી સુધીનો જામ થયો હતો જેની અસર મહાવીર ટર્નીંગ તેમજ જુના નેહા 8 પર ભરૂચ અને પ્રતિન ચોકડી વિસ્તાર માં જોવા મળી હતી ચારે તરફ ના માર્ગો પર વાહનો કતાર જામી જતા ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં 108 જેવી ઇમર્જન્સી સેવા પણ અટવાય હતી તો ચારેજબાજુ નાના મોટા વાહનો કતાર ને લઇ કલાકો સુધી લોકો અટવાયા હતા. 5 વર્ષ પૂર્વે અંકલેશ્વર ભારદારી વાહનો પર પ્રવેશ બાંધી ફરમાવામાં આવી હતી.

જેને લઇ શહેરનું ટ્રાફિક ભારણ ઘટ્યું હતું જે હવે ના રહેતા અંકલેશ્વર શહેર માં દિવસ તેમજ રાત્રી દરમિયાન છાશવારે ટ્રાફિક જામ સર્જાય છે જેની અસર ગોલ્ડન બ્રિજ તેમજ નેશનલ હાઇવે પર પણ જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા ફરી એકવાર શહેર માં ભારદારી વાહનો પર પ્રવેશબંધી ફરમાવા માગ કરી રહ્યા છે.

संबंधित पोस्ट

પાણી-પુરવઠાની ૬ જેટલી વિવિધ યોજનાના ખાતમુહૂર્ત કરવા આવનાર મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમની તડામાર તૈયારી

Vande Gujarat News

૨.૧૮ કરોડના ખર્ચે અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપોની લોકાર્પણ વિધિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સંપન્ન

Vande Gujarat News

કેલ્વીકુવાના ખેડુતના બોરમાંથી ફીણ સાથે પાણી નિકળતા અંજપો, છ મહિના પહેલા 200 ફૂટ ઊંડો બોર ખોદવા છતાં પાણી નહોતું નીકળ્યું – હવે અચાનક ફીણ સાથે પાણી બહાર આવ્યું

Vande Gujarat News

અંકલેશ્વર ભરૂચ વચ્ચે ડમ્પર અને રીક્ષા વચ્ચે અકસ્માત,માં એકનું મોત

Vande Gujarat News

અંકલેશ્વરની ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ વિશ્વ માતૃભાષા દિવસની અનોખી રીતે ઉજવણી કરવા આવી

Admin

ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના જન્મ દિવસ નિમિત્તે વેલીયન્ટ ક્રિકેટર વિપુલ નારીગરા એ સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી

Vande Gujarat News