Vande Gujarat News
Breaking News
Breaking NewsDharmVadodara

રંગ અવધૂતની પુણ્યતિથિ નિમિત્તે જંબુસર ખાતે ધૂનનો કાર્યક્રમ યોજાયો

સંદીપ દીક્ષિત – નારેશ્વરના નાથ તરીકે પ્રસિદ્ધ પરમ પૂજ્ય રંગ અવધૂત ની બાવનમી પુણ્યતિથિ નિમિત્તે અવધૂત પરિવાર જંબુસર દ્વારા પિશાચેશ્વર મહાદેવ તથા દત્ત મંદિરે ધૂનનો કાર્યક્રમ યોજાયો હતો.

પરમ પૂજ્ય રંગ અવધૂતનો જન્મ સંવત ૧૯૫૫ ના કારતક સુદ નોમ ના દિવસે ગોધરા ખાતે મહારાષ્ટ્રીયન પરિવારમાં થયો હતો. નાની ઉંમરથી જ તેમને આધ્યાત્મની લગની લાગી હતી ૨૬ વર્ષની ઉંમરે તેમને સંસાર છોડી નારેશ્વરની નિર્જન ભયાવહ ભૂમિ પર સાધના કરી સાત ગામના સ્મશાન પાસે આવેલી આ જગ્યા એ તે સમયે દિવસે જતાં પણ બીક લાગે તેવી જગ્યાએ આજે વૈકુંઠ સમાન બની છે.

અવધૂત મહારાજના કઠોર નિસ્વાર્થ તાપનો પ્રતાપ છે તેવો અનોખા શાંત હતા, અને હંમેશા પૈસો પદ પ્રતિષ્ઠા પ્રવચન અને પ્રસિદ્ધિથી દૂર રહ્યા રંગ અવધૂતે પ્રવચન કે ઉપદેશ વગર જ અસંખ્ય લોકોના જીવન બદલી દીધા. લાખો લોકોને સન્માર્ગે વાળ્યા સંવત ૨૦૨૫ ના કારતક વદ અમાસે હરિદ્વાર મુકામે ઓમ ઓમ ઓમ નું ઉચ્ચારણ કરતાં
પરમ પૂજ્ય રંગ અવધૂત તે દેહ ત્યાગ કર્યો.

અવધૂત મહારાજ સદેહે ન હોવા છતાંય ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. પૂજ્યશ્રીએ શ્રી ગુરૃ લીલામૃતમાં લખ્યું હતું. કારણ કે જન દ્રસ્ટીએ ત્યાગે સિધ્ધ શરીર તો એ સર્વાતર વિશે રહે નિત્ય એ ધીર પરમ પૂજ્ય બાપજી લાખો ભક્તોના હૃદયમાં સદાકાળ વાસ કરે છે.

 

संबंधित पोस्ट

ભરૂચ સતત વરસી રહેલા વરસાદ ને પગલે તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરાયો

Vande Gujarat News

चीन की लापरवाही दुनिया को पड़ी भारी! वैज्ञानिकों ने मानी चमगादड़ों के काटने की बात

Vande Gujarat News

ગાંધીનગર: ધો.8થી 12 પાસ યુવાનો માટે ભરતી મેળો, શ્રમ અને રોજગાર વિભાગ થકી ડી- માર્ટ મોલમાં મળશે નોકરી! જાણો વિગત

Admin

દુલ્હને મૃત પાલતુ કૂતરાને આપી અનોખી શ્રદ્ધાંજલિ, મહેંદીમાં બનાવી તેની તસવીર

Vande Gujarat News

વાગરા કલમ ગામની સીમમાં બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો…

Vande Gujarat News

કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલાએ જંબુસર તાલુકાના કાવી- કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરી મહાદેવની આરતી ઉતારી ધન્યતા અનુભવી

Vande Gujarat News